Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં ડૂબી જતા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું મોત

રાત્રીના કુદરતી હાજતે ગયા બાદ કેનાલમાં ડૂબ્યો હતો

મોરબીના લખધીરપુર રોડ પાસેથી પસાર થતી કેનાલમાં રાત્રીના પરપ્રાંતીય શ્રમિક ડૂબી ગયાની જાણ થતા ફાયર ટીમ દોડી હતી જોકે રાત્રીના રેસ્ક્યુ ઓપરેશન ચલાવી સકાય તેમ ના હોય સવારે સર્ચ કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ પરથી પસાર થતી કેનાલ પાસે રાત્રીના યુવાન ડૂબ્યો હતો પરપ્રાંતીય શ્રમિક છોટેઅલી ઈસ્માઈલ અલી નામનો યુવાન રાત્રીના કુદરતી હાજતે ગયા બાદ કેનાલમાં ડૂબ્યો હતો જે બનાવની જાણ ફાયરને કરવામાં આવી હતી જોકે રાત્રીના અંધકારમાં સર્ચ ઓપરેશન ચલાવી શક્યા ના હતા અને સવાર પડતા જ ફાયરની તરવૈયાની ટીમે યુવાનની શોધખોળ આદરી હતી

પરંતુ બહુ મોડું થઇ ગયું હોય દરમિયાન યુવાન મૃત્યુ પામ્યો હતો અને તેનો મૃતદેહ જ તરવૈયાની ટીમને હાથ લાગ્યો હતો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે તેમજ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(11:58 pm IST)