Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ચીનથી ત્રણ છાત્ર વતન સૂરેન્દ્રનગર આવ્યા

જિલ્લાની સરકારી હોસ્પિટલમાં કોરોના સામે તૈયારી

વઢવાણઃ કોરોના વાયરસના કહેરને કારણે ત્રણ છાત્રો ચીનમાંથી વતન સુરેન્દ્રનગર પરત આવી પહોંચતા પરિવારજનોને રાહત થઇ છે.  દરમ્યાન આ વાયરસ સામે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં આગોતરી તૈયારી કરવામાં આવી છે.

ચીનમા નાન્ઝીનીયા સિટીમાં આવેલી મેડિકલ યુનિવર્સિટીમા એમબીબીએસની પ્રથમ વર્ષની પરીક્ષા આપનાર લીંબડીના મનન રાકેશભાઇ ડાભી, ગુંજન પ્રફુલભાઇ ડામી  તથા ધર્મજીત પરમાર કોરોના વાયરસની ઝપેટમા આવી ન જાય તેવી ચિંતા અહી રહેતા પરિવારજનોમાં  વ્યાપી હતી. દરમિયાન આ ત્રણેય વિદ્યાર્થીઓ વાયા બેંગકોક થઇને અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સલામત રીતે વતન આવી પહોંચ્યા હતા. જેથી પરીવારજનોને રાહત થઇ છે.

(12:39 pm IST)