Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

પાક મરીન દ્વારા વધુ પ બોટ સાથે ૧૦ માછીમારોના અપહરણ

એક માસ પહેલા ર૪૬ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી ર તબકકામાં મુકત કર્યા બાદ ફરી અપહરણઃઅપહરણ થયેલી બોટો પોરબંદર અને ઓખાની

પોરબંદર તા. રઃ જખૌ જળ સીમાએ પાકિસ્તાન મરીન દ્વારા ફરી અશાંતિનો પ્રયાસ કરીને ભારતીય બોટ સાથે ૩૦ માછીમારોના અપહરણ કરી જતાં માછીમાર સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.તાજેતરમાં પાકિસ્તાનની જેલમાંથી ર તબકકામાં કુલ ર૪૬ માછીમારોને મુકત કર્યા હતાં. ત્યારબાદ ફરી જખૌ જળ સીમાએ પાકિસ્તાન મરીને જુની ટેવ મુજબ અશાંતિના પ્રયાસ શરૂ કરેલ છે.અપહરણ કરાયેલ માછીમારો સૌરાષ્ટ્રના પોરબંદર ઓખાની હોવાનું જાણવા મળે છે. જળસીમાએ વારંવાર માછીમારોના અપહરણ બંધ થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા થાય તેવું માછીમાર સમાજ ઇચ્છી રહેલ છે.

(4:04 pm IST)