Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

બીન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા જામનગર લેઉવા પટેલ સમાજની મુલાકાતે

 જામનગર : બીન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા જામનગર ખાતે સમુહલગ્ન સમારોહમાં આવ્યા હતાં. આ સાથે તેઓશ્રીએ રણજીતનગર ખાતે આવેલ લેઉવા પટેલ સમાજની મુલાકાત લીધી હતી. આ તકે જ્ઞાતીના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા અને અગ્રણીઓ દ્વારા હંસરાજભાઇ ગજેરા તથા  જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ભરતભાઇ બોરસદીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે હંસરાજભાઇ ગજેરાએ બીન અનામત આયોગમાં સુચનો તથા અન્ય લાભા-લાભો તથા સમાજમાં પ્રવૃતિ રહેલા રીતી-રીવાજો અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત સમાજ ભવન ખાતે તૈયાર કરવામાં આવેલ એસી હોલ, અતિથીગૃહ, ટેરેસ ગાર્ડન તથા મીટીંગ હોલ સહિતના ચાલી રહેલ વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી. આ પ્રસંગે લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, મંત્રી અશોકભાઇ પટેલ, એડવોકેટ રમેશભાઇ વેકરીયા, કિશોરભાઇ સંઘાણી, મુકેશભાઇ અકબરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(12:39 pm IST)