Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

વઢવાણઃ કેનાલમાં ગાબડું

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લામાં ઓછા વરસાદનાં કારણે ખેડૂતોના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે ત્યારે ગઈ કાલે સર્વે મુજમ આગામી વર્ષ કરતા ચાલુ વર્ષે ૪% વાવણી ખેડૂતો દ્વારા ઓછી કરવામા આવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવણી કરવામાં આવી હતી જેના કારણે હાલ ખેતરોમાં લેહરતા પાક નઝરે પડે છે. ત્યારે હાલ સરકાર દ્વારા કેનાલોમા પાણી છોડવામાં આવી રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ અનેક કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની નબળી કામગીરી સામે આવી છે. છેલ્લા ૨ માસમા ૫ થી વધુ કેનાલોમા સુરેન્દ્રનગર જીલ્લામાં ગાબડાં પડયાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોને એક બાજુ સિંચાઇ માટે પાણી લેવા દેવામા આવતું નથી અને બીજી બાજુ ગબદાઓના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ સુરેન્દ્રનગર જીલ્લામા થઈ રહો છે.(૨૩.૭)

(2:15 pm IST)