Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં સુરેન્દ્રનગરના વાલ્મિકી દંપતિ અને પુત્રને ગંભીર ઇજા

ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા

રાજકોટ તા. ૧: સુરેન્દ્રનગરના નાના અંકેડવાડીયા પાસે ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષાચાલક સુરેન્દ્રનગરમાં દુધરેજ ફાટક પાસે રહેતાં કિશોરભાઇ ખોડાભાઇ પરમાર (વાલ્મિકી) (ઉ.૪૦), તેના પત્નિ રમાબેન કિશોરભાઇ (ઉ.૩૫) અને પુત્ર ચિરાગ (ઉ.૮)ને ઇજાઓ થતાં અમદાવાદ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

ત્રણેય લીંબડી ઘરનો સામાન લેવા ગયા હતાં. ત્યાંથી પરત સુરેન્દ્રનગર આવતી વખતે રસ્તામાં ટ્રકે રિક્ષાને ઠોકરે ચડાવતાં ત્રણેયને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ ખસેડાયા છે.

(12:04 pm IST)