Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમાપ્ત કરવાનું ગાંધી બાપુનું સમણું સાકાર કરવુ છેઃ યોગી આદિત્યનાથ

ભાવનગરમાં યુપીના મુખ્યમંત્રીની જાહેરસભા યોજાઇ

ભાવનગર તા.૧ : ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં કાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના સમર્થનમાં વિરાટ જાહેરસભાને સંબોધતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના વકતવ્યના પ્રારંભે આઝાદ ભારતના એકીકરણ માટે સૌ પ્રથમ ભાવનગર રાજય અર્પણ કરી દેનારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને વંદન કર્યા હતા.

ત્યારબાદ કોંગ્રેસને આડે હાથ લેતા તેમણે કહ્યુ હતુ કે, ભારત દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધીએ એક વાત કરી હતી કે, હવે કોંગ્રેસને સમાપ્ત કરી દેવી જોઇએ. કોંગ્રેસીઓએ બાપુની વાત ન માની પણ ગુજરાતની જનતાએ ગત ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ર૬ બેઠક ભાજપને જીતાડી બાપુનું સમણું સાકાર કરવા પ્રયાસ કર્યો હતો. હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમાપ્ત કરી બાપુનું સમણું પુર્ણતઃ સાકાર કરવા જનમેદનીને આહવાહન કર્યુ હતુ.

યોગી આદિત્યનાથે જણાવ્યુ કે, ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની છે તે સ્પષ્ટ છે.

(11:49 am IST)