Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ત્રણ બાળકોની હત્યાના કેસમાં ન્યાયની માંગણી સાથે થાનથી ગાંધીનગર પદયાત્રા

સુરેન્દ્રનગર જીલ્લાના થાગઢમાં ૨૦૧૨માં ત્રણ બાળકોની હત્યા થઇ હતી. આ મામલે મૃતકના સ્વજનોને હુજ પણ ન્યાય મળ્યો ન હોઇ બાળકોના માતા-પિતા સહિતના પરિવારજનો થાનગઢથી પદયાત્રા કરી ગાંધીનગર રજૂઆત કરવા જવા ૨૮મીએ રવાના થયા હતાંઉ તેઓ ચોટીલા રાત્રી રોકાણ કરી ફરીથી સવારે ગાંધીનગર તરફ આગળ વધ્યા હતાં. ચોટીલા તાલુકાના દલિત સમાજ દ્વારા વાલજીભાઇ રાઠોડને ફુલહાર કરાયા હતાં અને તેમને ન્યાય મળે તે માટે સમાજ સાથે હોવાનો દિલાસો આપ્યો હતો. બામણબોરથી બાબુલાલ ડાભીએ માહિતી અને તસ્વીર મોકલ્યા હતાં.

(12:04 pm IST)