Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

દોઢ લાખની સુથી આપી મકાનનો દસ્તાવેજ કરાવી લઇ રૂ.૧૩.૯૦ લાખનો ધૂબો

જુનાગઢનાં પ્રભાતપુરની મહિલાની ૩ શખ્સો સામે ફરીયાદ

જુનાગઢ તા.૧ : દોઢ લાખની સુથી આપી બાદમાં મકાનનો દસ્તાવેજ કરાવી લઇ જુનાગઢના પ્રભાતપુરની મહિલાને ત્રણ શખ્સોએ રૂ.૧૩.૯૦ લાખનો ધુંબો મારી દેતા ચકચાર વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે જુનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે રહેતા લીલાબેન કાંતીલાલ સુવાગીયા (ઉ.વ.પ૦) નામની મહિલાનું જુનાગઢમાં પણ મકાન આવેલ છે.

પરંતુ કેશોદના ખમીદાણાની ભરત આહિર, જુનાગઢના ગાંધીગ્રામના જયેશ મારૂ અને પ્રભાતપુરનાં વિનુ પટોળીયાએ મહિલાને વિશ્વાસમાં લઇ તેનું જુનાગઢ ખાતેનું મકાન લેવાનું કહી લીલાબેનને રૂ. દોઢ લાખ સુથી પેટે આપ્યા હતા.

બાકી નીકળતાં નાણા એક મહિનામાં પુરા કરી આપવાનું કહેતા તા.૧૪-૬-ર૦૧૮ના રોજ જુનાગઢ ખાતે ખમીદાણાનાં ભરત આહીર નામે મકાનનો દસ્તાવેજ કરાવી આપ્ય હતો.

આ પછી બાકી નીકળતાં રૂ.૧૩ લાખ ૯૦ હજારની રકમ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યાની મહિલાએ ફરિયાદ બી - ડીવીઝન પોલીસે ત્રણેય શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ ડી.કે. વાઘેલા ચલાવી રહયા છે.

(3:59 pm IST)