Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જુનાગઢ નરસિંહ મહેતા સરોવર છલોછલ ઓવરફલો થવાના આરે

 જુનાગઢ : છેલ્લા બે દિવસથી મેઘ મહેર થતા ડેમો અને જળાશયોમાં નવા નીરની આવકમાં નોંધપાત્ર વધારો થઇ રહયો છે. ત્યારે જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર સારા વરસાદને લઇ છલોછલ ભરાય ગયું છે અને હજુ એકાદ સારો વરસાદ થાય એટલે ઓવરફલો થાય તેટલું પાણી ભરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ તળાવ ભરાવાથી ઝાંઝરડા રોડ સહિત ઓજી વિસ્તારમાં પાણીના તળ ઉંચા આવે છે. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર- મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:39 pm IST)