Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ભાવનગરમાં પાણીનો નિકાલ

ભાવનગર : નારી ચોકડીથી અધેલાઇ તરફ બની રહેલા નેશનલ હાઇવે પર આવતા નજીકના ગામો (સવાઇનગર, દવેળિયા, પાળિયાદ, માઢીયા)ના રસ્તા પર વરસાદનું પાણી ભરાઇ જવાના પ્રશ્ને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને નેશનલ હાઇવેની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાવવામાં આવી. નાના બ્રીજ નીચે તથા તેની આસપાસ મશીનરીથી ડીપનીંગ કરાવી ભરાયેલ પાણીનો નિકાલ કરવામાં આવ્યો.આ બાબતે ચોમાસા દરમ્યાન સતત કાર્યરત રહેવા તમામ અધિકારીને સૂચના કરવામાં આવી હતી.

(12:55 pm IST)