Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે વિઠ્ઠલભાઇ રાદડિયાને શ્રધ્ધાંજલી અર્પણ

સાવર કુંડલા તા. ૩૧ :.. સાવરકુંડલા ખાતેની માર્કેટીંગ યાર્ડમાં સર્વો રાજકીય પક્ષ અને દરેક સમાજના આગેવાનો દ્વારા શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

સ્વ. વિઠલભાઇ રાદડીયાને શ્રધ્ધાંજલી આપવા માટે સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં સ્વ. વિઠલભાઇ રાદડીયાએ સહકારી ક્ષેત્રે ખેડૂતો માટે અને આમ જનતાના પ્રશ્નો માટે ખુબ જ લડત આપી અને પ્રશ્નો હલ કર્યો છે. અને સ્વ. વિઠલભાઇ રાદડીયાની ખોટ જબરી પડશે. સ્વ.વિઠલભાઇ રાદડીયાની આત્માને શાંતિ આપે અને મોક્ષ પામે તેવી આગેવાનો એ પ્રાર્થના સાથે લાગણી વ્યકત કરેલ હતી આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં દિપકભાઇ માલાણી નગરપતિ વિપુલભાઇ ઉનાણ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઇ ઠાકર શહેર કોંગ્રેસ પ્રમુખ કીરીટભાઇ દવે તાલુકા પંચાયત પ્રમુખ રાઘવજીભાઇ સાવલીયા, કરશનભાઇ ડો. બરીયા દેવસનભાઇ ટીપાવડલી, મનજીભાઇ તળાવીયા, શરદ પંડયા, લાલભાઇ મોર, ધીરૂભાઇ વ્હોરા, જશુભાઇ ખુમાણ, જીવનભાઇ વેકરીયા, અનુબાપુ હરીયાણી, હરીભાઇ ધડુક, હરેશભઇ મશરૂ, વિઠલભાઇ જામુડાવાળા, દુલ્લજીભાઇ કોઠીયા, ઇકબાલ ગોરી, પ્રવિણભાઇ સામજ તેમજ વિવિધ રાજકીય તેમજ સહકારી આગેવાનો તાલુકા પંચાયતના સભ્ય નગરપાલિકાના સભ્યો ગ્રામ્ય વિસ્તારના સરપંચો મંડળીના મંત્રીઓ શહેર અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણી અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી પાઠવી હતી. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન મહેશભાઇ સુદાણીએ કરેલ હતું.

(12:54 pm IST)