Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જસદણ તાલુકાના બે રસ્તાઓ ૩૧.૭૬ કરોડના ખર્ચે બનાવાશે

જસદણ તા ૦૧  : જસદણ તાલુકાના બે રસ્તાઓના કામો અંદાજે રૂપિયા ૩૧૭૬.૪૩ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ભરતભાઇ કે. બોઘરા ના જણાવ્યા મુજબ રાજયના માર્ગ અને મકાન મંત્રી નીતિનભાઇ પટેલે જસદણ તાલુકાના જુદા જુદા બે રસ્તા અંદાજે ૩૧.૭૬ કરોડના ખર્ચે મંજુરકર્યા છે. સોૈરાષ્ટ્રમાં પ્રસિદ્ધ જસદણના ઘેલા સોમનાથ જવા માટે કાળાસર ગામથી ઘેલા સોમનાથ સુધીના રસ્તાનું રૂપિયા ૧૮૫૭.૯૬ લાખ અને જસદણથી આટકોટ સુધીના રોડનું કામ અંદાજે રૂપિયા ૧૩૧૮.૪૭ લાખના ખર્ચે હાથ ધરવામાંઆવશે. આ બંને રોડ પહોળા અને મજબુત, હાર્ડ સાઇડ સોલ્ડર, ક્રોસ ડ્રેઇનેઝ સાથે અદ્યતન રોડ બનાવવામાં આવશે.

આ બંને મહત્વના રોડ મંજુર કરવા બદલ ડોકટર ભરતભાઇ બોઘરાએ માર્ગ અને મકાન મંત્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.

(12:49 pm IST)