Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ધ્રોલ તાલુકાના મજોઠ ગામે જંગલી જાનવરે ૫૦ ધેટા નુ મારણ કર્યૂ

ધ્રોલ તાલુકાના કાનાભાઈ લાખાભાઈ  ઝાપડાના (ભરવાડ) વાડામાં ઘેટા પર કોઈ જંગલી જનાવરે ઘેટાઓ પર હુમલો કરતા બાવન ઘેટાઓ મરી ગયા હતા જેમાં તાલુકા મથકે જાણ કરાતા તાલુકા પંચાયત ના પ્રમુખ પોલુભા જાડેજા,તાલુકા પંચાયત સદસ્ય વિજય ભાઈ કાસુન્દ્રા, ધ્રોલ ટી.ડી ઓ. વિનોદ ભાઈ ચૌહાણ, વિસ્તરણ અધિકારી ડગરા ,તેમજ પશુડોક્ટર ,ગામના સરપંચ   ઉપસરપંચ તેમજ તલાટી મંત્રિ એ સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યું તેમજ સહાય માટે આગળ ની કાર્યવાહી કરવા ખાતરી આપી... ટીડીઓ ચૌહાણ ટેલિફોન  પર જણાવ્યુ આ બનાવ ૩૦ ના રાત થયો હતો જેની જાણ થતા ત્યા સ્થળ પર તપાસ કરી જેમા ૫૦ ધેટા ઓ મરણ થયા નુ પરીવાર જણાવ્યુ હતુ અને આગળ તપાસ હજુ ચાલુ છે

(11:03 pm IST)