Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ધોરાજી એસબીઆઇ બેન્કના કર્મચારીઓને સન્માન સહ વિદાયમાન અપાયું

મેનેજર મંજૂર શમા તેમજ સિનિયર કર્મચારી જગદીશ ગામોટ નો વિદાય સમારંભ યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી એસબીઆઇ બેન્કના કર્મનિષ્ઠ અધિકારી અને બેંક મેનેજરને નિવૃત્તિ તેમજ બદલી થતા બન્ને અધિકારીઓને સન્માન સાથે વિદાયમાંન અપાયું હતું.
  ધોરાજી એસબીઆઇના ઓફિસર બ્રહ્મ સમાજના અગ્રણી જગદીશભાઈ ગામોટ નિવૃત્તિ વિદાયમાન તેમજ બેંક મેનેજર મંજુર શમાની બદલી થતા તેઓનુ સન્માન સાથે કોરોના ગાઈડ લાઈન સાથે વિદાય અપાઇ હતી. જેમાં  અલગ અલગ સમયે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધોરાજી વેપાર ઉધોગ મહામંડળનાં પ્રમૂખ લલિતભાઈ વોરા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડ, ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા મુસ્લિમ મેમણ જમાત નાં પ્રમુખ અફરોઝભાઈ લક્કડકુટા,  અગ્રણી ઉદ્યોગપતિ ઈમ્તિયાઝ ભાઇ (મુંબઈ), તેજાબાપા અન્નક્ષેત્રનાં આર કે કોયાણી, સુરેશભાઈ વઘાસીયા ધીરુભાઈ કોયાણી ધોરાજી પેન્શનર મંડળ, બ્રહ્મ સમાજના બકુલભાઈ પુરોહિત, બેંક પરિવાર, ધોરાજી, પત્રકાર નયન કુહાડીયા, ભરત બગડા, સહીત વિવિધ આગેવાનો દ્વારા વિદાયમાન અપાયુ હતુ.

(6:40 pm IST)