Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

અમરેલી જીલ્લામાં કોરોના ટાઢો પડયોઃ વધુ ર મોતઃ કેસ ઘટયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧ : એપ્રિલની જેમ કોરોનાના દર્દીઓ માટે ગોજારો મે મહિનો પણ પુરો થયો છે જો કે છેલ્લા દિવસે વધુ બે દર્દીના મોત નિપજયા હતા અમરેલીમાં સારવાર લઇ રહેલા કોરોનાના વધુ બે દર્દીના મૃત્યુ નિપજયા  છે.  રિવવારે પણ  ધોરાજીના પર વર્ષના અને બાલાપુરના ૪પ વર્ષના બે દર્દીઓના મૃત્યુ નિપજયા હતા જયારે શનિવારે ચમારડી, મેખડી અને સાવરકુંડલા એમ ત્રણ દર્દીઓના મૃત્યુ નિપજયા હતા.

હવે અમરેલી જિલ્લામાં કોરોના ટાઢો પડયો હોય તેમ સ્ટેટ બુલેટીનમાં અમરેલી જિલ્લામાં નવા ર૮ પોઝીટીવ કેસ નોંધાયા છે. અને ૧૭૯ દર્દીઓ સાજા થયા છે. જયારે ર૪૯૭ લોકોને વેકસિન અપાઇ છે.

(12:57 pm IST)