Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પોરબંદર જિલ્લામાં કોરોનાની સારવારમાં ૯૦ દર્દીઓ સાજા થયા : નવા ૨૫ પોઝીટીવ કેસ

(પરેશ પારેખ -સ્મિત પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧: જિલ્લામાં ૨૪ કલાકમાં કોરોનાની સારવારમાં રહેલા ૯૦ દર્દીઓ સાજા થઇને હોસ્પિટલોમાં ઘેર ગયેલ છે. કોરોનાના નવા ૨૫ પોઝીટીવ કેસ આવ્યા છે.

પોરબંદર જિલ્લામાં કોરોનાના ગઇ કાલે ૧૫૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૨૫ પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝીટીવ કેસ ૩,૨૪૭ થયેલ છે. ૨૪ કલાકમાં કોરોનાની સારવારમાં ૯૦ દર્દીઓ સાજા થઇ ગયેલ છે. સરકારી હોસ્પિટલમાં હાલ નવા ૬૨ દર્દીઓ કોરોનાની સારવારમાં છે. જિલ્લા હોમ આોઇસોલેશનમાં ૧૫૫ વ્યકિતઓ છે.

(12:48 pm IST)