Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પાનેલીમાં પાંચ દિવસ પહેલા ગળાફાંસો ખાઇ લેનાર ૧૯ વર્ષની યુવતિએ દમ તોડ્યો

રાજકોટમાં મૃત્યુઃ પસંદગીના યુવાન સાથે સગપણ ન થતાં માઠુ લાગ્યું હતું

રાજકોટ તા. ૧: ઉપલેટાના પાનેલી ગામે રહેતી કિરણ મુકેશભાઇ વિરમગામા (ઉ.વ.૧૯) નામની યુવતિએ ૨૭મીએ સાંજે ઘરે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ ગત સાંજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

કિરણને પ્રથમ પાનેલીની હોસ્પિટલમાં અને ત્યારબાદ ઉપલેટા હોસ્પિટલમાં સારવાર અપાવાઇ હતી અને છેલ્લે રાજકોટ સિવિલમાં લાવવામાં આવી હતી. અહિ ગત સાંજે મૃત્યુ નિપજ્યું હતું. તે ચાર બહેન અને એક ભાઇમાં ચોથા નંબરે હતી. તેના પિતા પ્લાસ્ટરનું કામ કરે છે. પિત્રાઇ ભાઇના કહેવા મુજબ કિરણનું સગપણ પસંદગીના યુવાન સાથે ન થઇ શકતાં તેણીને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. ભાયાવદર પોલીસ વધુ તપાસ કરે છે.

(12:46 pm IST)