Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ગીર સોમનાથ જીલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાગ્રસ્તને સહાય

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૧ : ગીરસોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાવાઝોડા થી થયેલા નુકશાન બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમારએ જણાવ્યુ હતુ કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા હવાઇ નિરીક્ષણ કરી મુખ્યમંત્રી દ્વારા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવાઇ અને કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમગ્ર બાબતે સાથે રહ્યા હતા.

બીજા દિવસે ભીખુભાઇ દલસાણીયા, કુંવરજીભાઇ બાવળીયા તેમજ પ્રદેશ ભાજપ ના અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓ અસરગ્રસ્તની મુલાકાત લઇ અને ભારતના વડાપ્રધાનએ વાવાઝોડા અંગે ૧૦૦૦ કરોડનું તેમજ ગુજરાત સરકારએ ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ અને અસરગ્રસ્ત કામોમાં ભાજપ જિલ્લા સંગઠને રૂ.રપ લાખની રાશનકિટ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રૂ.૧૫ લાખનું રાશનકિટનુ વિતરણ કરેલ અને જિલ્લા યુવા ભાજપએ રૂ. ૮ લાખની રાશનકિટનું વિતરણ કર્યુ હતુ.

આ તકે પ્રદેશ ભાજપમંત્રી ઝવેરીભાઇ ઠકરાર અને જિલ્લા ભાજપ મહામંત્રી જયેશ વઘાસિયા સહિતના લોકો જોડાયા હતા.

(11:48 am IST)