Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

નરેન્દ્રભાઇ મોદીનાં કાર્યકાળને ૭ વર્ષ પૂર્ણ થતાં દ્વારકાધીશ મંદિરે દર્શન-ધ્વજારોહણ

જુનાગઢઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકાધીશ મંદિરે દર્શન કરી ધજા ચડાવી હતી. આ શુભ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, રાજય સભાના સભ્ય રામભાઇ મોકરિયા, સાંસદ પૂનમબેન માડમ, દ્વારકા જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઇ ખીમાણી, ધારાસભ્ય પબુભા માણેક, દ્વારકા જિલ્લાના પ્રભારી બીનાબેન આચાર્ય દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:42 am IST)