Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ભાવનગરમાં કોરોનાથી બેના મોત : ૨૨ કોરોના પોઝિટિવ કેસ ૧૫૧ દર્દીઓ કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૧૯૨ કેસો પૈકી ૬૦૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧ : ભાવનગર જિલ્લામા વધુ ૨૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૧૯૨ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૮ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં સિહોર તાલુકામાં ૩ તેમજ તળાજા તાલુકામાં ૭ કેસ મળી કુલ ૧૦ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી અને મહુવા તાલુકાનાં કોંજળી ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૪૫ અને તાલુકાઓમાં ૧૦૬ કેસ મળી કુલ ૧૫૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૧૯૨ કેસ પૈકી હાલ ૬૦૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૮૫ દર્દીઓનું અવસાન થયેલ છે.

(11:00 am IST)