Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

દામનગર : વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં સેવાયજ્ઞ

દામનગર : તાઉતે વાવાઝોડામાં સમગ્ર અમરેલી અને ગીર સોમનાથનાં કેટલાય વિસ્તારોમાં ભયંકર તારાજી સર્જાઈ છે. હજી સુધી ગીરનાં છેવાડાના એવા કેટલાય વિસ્તાર છે જયાં તંત્ર પહોચી શકયું નથી અને આજે પણ ત્યાં વીજળી અને પાણી જેવી સુવિધા પહોચી નથી. આવા છેવાડાના વિસ્તારોમાં આ સંસ્થા દ્વારા લોકો માટે જરૂરી રાશનકીટ પહોચાડવાની વાત હોય કે લોકોના ઘર પરની છત ઊભી કરવાની વાત હોય તેમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી અને આ સંસ્થાએ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રોફેસર અનિલ ગુપ્તાના માર્ગદર્શન નીચે આ સેવાયજ્ઞ અવિરતપણે ચાલી રહ્યો છે અને છેવાડાના જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચી અને તેમની તકલીફ સમજવામાં આ સંસ્થા સફળ રહી છે અને તેમણે આ સેવાયજ્ઞથી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૃષ્ટિના ચેતનભાઈ પટેલ દ્વારા અહીં કાર્ય કરતી ટીમના સતત સંપર્કમાં રહી અને ખૂબ મહત્વપૂર્ણ ભુમિકા ભજવી છે. (તસ્વીર-અહેવાલ :વિમલ ઠાકર દામનગર)

(10:14 am IST)