Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ગારીયાધારના નવાગામમાં ઘરકંકાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત

ગારીયાધાર તા. ૧ : ગારીયાધારના નવાગામ ગામે રહેતા હિંમતભાઇ બાબાભાઇ પરમાર અને તેની પત્ની શ્રદ્ધાબેન (મરણ જનાર) વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હોવાથી અને તેના પતિ હિંમતભાઇ દ્વારા વારંવાર ત્રાસ આપી માર મારતો હોવાથી શ્રદ્ધાબેન આજે સવારે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલુ કયુંર્ હતું.

જે બાબતે મરણ જનારના બહેન રનુબેન જીણાભાઇ ભીખાભાઇ ધોળકીયા નવાગામ તા.ગારીયાધાર વાળાઓ શ્રદ્ધાબેનના પતિ હિંમતભાઇ સામે ફરીયાદ નોંધાવી હતી જેની  ફરીયાદ આઇપીસી ૩૦૬ કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ પીએસઆઇ કે.એચ.ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી હતી.

(12:11 pm IST)