Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વાંકાનેરના બાવાજી વૃધ્ધા મુકતાબેન રામાનુજનો સળગી જઇ આપઘાત

જુદી-જુદી બિમારીઓથી કંટાળી ગયા'તાઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧: વાંકાનેરના કુંભારપરા-૪માં રહેતાં મુકતાબેન નટવરલાલ રામાનુજ (ઉ.૮૫) નામના બાવાજી વૃધ્ધાએ બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. 

મુકતાબેને રાત્રે સાડા અગિયારેક વાગ્યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી વાંકાનેર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર મુકતાબેનને સંતાનમાં ચાર દિકરા અને ચાર દિકરી છે. તેમને હૃદયનો વાલ્વ પહોળો થઇ જતાં તેમજ બ્લડ પ્રેશરની તકલીફ હોઇ સતત બિમાર રહેતાં હતાં.  બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

(11:50 am IST)