Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

એડવોકેટ કિરીટ જોષીની હત્યા કરનારાને ફાંસી આપોઃ જામનગર બ્રહ્મસમાજની બુલંદ માંગણી

લાલ બંગલા સર્કલે ધરણાઃ કલેકટરને આવેદન

જામનગર : તસ્વીરમાં બ્રહ્મસમાજ દ્વારા ધરણા કરીને આક્રોશ વ્યકત કર્યો હતો. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

 જામનગર તા. ૧ :.. જામનગરના એડવોકેટ અને બ્રહ્મ સમાજના અગ્રણી કિરીટભાઇ જોષીની હત્યા બાદ બ્રહ્મસમાજમાં આક્રોશ ફેલાયો છે. અને હત્યા કરનારાને ઝડપી લઇને ફાંસીની સજા આપવા શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ - જામનગર જીલ્લાના હોદેદારોએ માંગણી કરી છે.જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા એડવોકેટ કિરીટભાઇ જોશીની ઘાતકી હત્યાના વિરોધમાં આજે લાલ બંગલા સર્કલ ખાતે એકત્ર થઇને ધરણા કર્યા હતા અને કલેકટર કચેરી તથા એસ. પી.શ્રીને મહારેલીરૂપે આવેદન પત્ર પાઠવ્યુ હતું.આ તકે પ્રફુલભાઇ વાસુ, સુનીલભાઇ એચ. ખેતીયા, નરેન્દ્રભાઇ સી. ત્રિવેદી, મનોજભાઇ જોષી, આશિષભાઇ જોષી રાજકોટના બ્રહ્મસમાજના અગ્રણી જીતુભાઇ મહેતા  સહિતનાએ આક્રોશ વ્યકત કર્યો હતો.વકીલ કિરીટભાઇ જોષીની હત્યા કરનારાને તાત્કાલીક ઝડપી લઇને ફાંસીની સજા આપવા બ્રહ્મ સમાજ જામનગર દ્વારા માંગણી કરવામાં આવી છે.

(3:51 pm IST)