Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

પોરબંદરમાં લગ્નનું માગુ નાખ્યા બાદ ના પાડતા યુવતી દ્વારા આપઘાતનો પ્રયાસ

પોરબંદર તા.૧: છાંયા નવાપરામાં પાયલ રાભાભાઇ ના માતાપિતાએ ચંદ્રેશનગરમાં રહેતા ચંદ્રેશ માલદે સાથે લગ્નનું રાખતા અને ના પાડતા પાયલને લાગી આવતા કેરોસીન છાંટી અગિનસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે ખસેડાયેલ છે. આ બનાવમાં પાયલ રહે ચંદ્રેશનગરના ચંદ્રેશ સાથે સંબંધની જાણ પાયલના માતાપિતાને થઇ જતાં ચંદ્રેશના માતાપિતા પાસે લગ્નનું માગું નાખેલ જેની ના પાડી હતી. અને પાયલને લાગી આવતા તેમણે અગ્નિસ્નાન કરી લેતા સારવાર માટે ખસેડાયેલ છે. છાંયા ચોકીના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)