Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ધ્રાંગધ્રા રાજમહેલમાં ૩ વર્ષ બાદ ફરી ચાંદીના સામાનની ઉઠાંતરી

વઢવાણ તા.૧: ધ્રાંગ્રધ્રા રાજમહેલમાં ત્રણ વર્ષ અગાઉ પણ ચોરીનો બનાવ બન્યો હતો ત્યારે ફરી રાજ મહેલમાં ચોરીનો બનાવ બન્યો છે. જેમા રાત્રીના સમયે બારી તોડી અંદર પ્રવેશી બગીમાંથી ૧૫ હજાર રૂપિયા ના ચાંદીનો સામાન ચોરી કરી તસ્કરો લઇ ગયા હતા.

આ બનાવ અંગે રાજ મહેલના મેનેજર સીટી પોલીસ મથકે ચોરી અંગેની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. આથીપોલીસે  આ અંગેવધુ તપાસ હાથ ધરી છે. આ ચોરીના બનાવમાં કોઇ જાણ ભેદુ સંડોવાયેલા હોવાની શકયતા સેવાઇ રહી છે.(૧.૧૬)

(1:02 pm IST)