Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

કિરીટ જોષીની હત્યા કરનારાને તાત્કાલીક ઝડપી લેવા સુરેન્દ્રનગર-લીંબડીના વકિલોની માંગણી

વઢવાણ તા.૧: જામનગર મા વકીલ કિરીટ જોષીની જાહેરમાં હત્યા કરાતા સુરેન્દ્રનગર જિલ્લાના વકીલોમાં રોષની લાગણી ફેલાઇ હતી જેના પડઘારૂપે  શનિવારે સુરેન્દ્રનગર બાર એસોસીએશન દ્વારા ઠરાવમાં એક દિવસ તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા. અને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વકીલ કિરીટભાઇ જોષીની હત્યારાઓને તાત્કાલીક ઝડપી લેવાની માંગ કરી હતી.

આ પ્રસંગે વકીલ મંડળના પ્રમુખ ધવલભાઇ પાઠક, ગોૈરાંગભાઇ પુરોહિત રૂસ્તમભાઇ પીલુડીયા, પ્રશાંત ભાઇ ભટ્ટ  સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે લીંબડી બાર એસોશીએશનના પ્રમુખ કિરણ કુમાર શાહ, ઉપપ્રમુખ નટવરલાલ રાસડીયા, શૈલેષ, મહેન્દ્રભાઇ વાઘેલા, જયેશભાઇ દવે તથા તમામ વકીલોએ લીંબડી કોર્ટ સંકુલથી બાઇક રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આવા અસામાજિક તત્વોને તાત્કાલીક ઝડપી લેવા માંગ કરવામાં આવી છે. (૧.૧૫)

(1:00 pm IST)