Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

પાલીતાણામાં પ્રેમપત્ર લખીને યુવકની હેરાનગતીથી કંટાળીને સગીરાએ એસીડ પીધુ

ભાવનગર તા.૧: ભાવનગર જીલ્લાના પાલીતાણામાં યુવકની હેરાનગતીથી કંટાળીને સગીરાએ એસીડ પી લેતા તેને સારવાર માટે ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાલીતાણા શ્રમિક પરિવારની ૧૫ વર્ષની સગીરાને પ્રેમપત્ર લખી સતાવતા હોય ધનાઢય શ્રીમત યુવક અને શહેરમાં ખાંડ તેલનાં વ્યવસાય કરતા તેજ સમાજના હોય સગીરાને લાગી આવતા એસીડ પી જતા પ્રથમ પાલીતાણાની સરકારી હોસ્પિટલ ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ બનાવની જાણ પોલીસને પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા ૧૧ કલાક બાદ કરવામાં આવી હતી. આ બનાવને ઢાકવા રાજકારણી તેમજ મોટા માથાઓ ધમપછાડા કર્યા હતા. જયારે સગીરાના પરિવાર અત્યંત ગરીબ હોવાથી પોલીસે ફકત જાણવા જોગ લઇ સંતોષ પામ્યો હતો! આ બનાવથી શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે ને શું શ્રમિક પરિવારને ન્યાય મળશે ખરા? તે પ્રશ્ન છે.

(11:49 am IST)