Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ઇશ્વરીયા પાસે બ્રીજનું લોકાર્પણ

ખીરસરા : ઇશ્વરીયા ગામના પાદરમાં અંદાજીત ૩૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ બ્રીજનું લોકાર્પણ કરતા ઇશ્વરીયા ગામના માજી સરપંચ અને આહિર અગ્રણી વિક્રમભાઇ પ્રભાતભાઇ ચાવડાના હસ્તે કરેલ છે. ગ્રામજનો, મેણંદભાઇ ખીમાણીયા, ઇશ્વરીયા ગ્રામ પંચાયત સરપંચ રોહિતભાઇ વિક્રમભાઇ ચાવડા, ચંદુભાઇ ડાંગર, ભાનુભાઇ ડાંગર, નાનજીભાઇ મુંગરા, લાલજીભાઇ શીંગાળા, મેણંદભાઇ ડાંગર, દેવરાજભાઇ બોરીચા, લાભુભાઇ બોરીચા, જેન્તીભાઇ લીંબાસીયા, શિવાભાઇ બોડા, સામતભાઇ બાલસરા, મનુભાઇ ડાંગર, નાથાભાઇ ડવ, લખમણભાઇ પટેલ, બટુકભાઇ બાંભવા, ખીમજીભાઇ છાશીયા, રાજુભાઇ છાશીયા, શૈલેષભાઇ કોળી વગેરે હાજર રહેલ હતા. આ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:29 am IST)