Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ભાવનગર-પાલીતાણા લોકલ ટ્રેનમાંથી અજાણ્યા આઘેડનો મૃતદેહ મળ્યો

ભવાનગર, તા. ૧ : ભાવનગર-પાલીતાણા લોકલ ટ્રેનમાંથી અજાણ્યા આઘેડનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.

પાલિતાણાથી ભાવનગર આવી રહેલી ટ્રેનમાંથી અજાણ્યા આશરે ૪પ વર્ષની વચના આઘેડ મૃત હાલતે મળી આવતા પોલીસે આઘેડના મૃતદેહને હોસ્પિટલ ખસેડી તેની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

દાઝી જવાથી મોત

ભાવનગર તાલુકાના માલણકા ગામમાં રહેતા કાવાભાઇ ચૌહાણના પુત્રી સોનલબેન (ઉ.વ.ર૦) ઘરે દાઝી જતાં તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

ઝાડ પરથી પડી જતા મોત

સિહોર પી.જી.વી.સી.એલ.માં ફરજ બજાવતા દલસુખભાઇ મનસુખભાઇ સરવૈયા (ઉ.વ.૪૦) ગત તા. ર૮ના રોજ નવા ગામ કરદેજ વચ્ચે નવી વીજલાઇનની કામગીરી સબબ ઝાડ કાપતા હતાં તે દરમ્યાન અકસ્માતે ઝાડ પરથી પડી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

(11:23 am IST)