Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

તળાજાના પાવઠીમાં ઝુપડામાં આગ લાગતા માતા - પુત્રના મોત

પરિવારના ૩ વ્યકિત દાઝી જતા સારવારમાં

તળાજાના પાવઠીમાં આગ લાગતા મોતઃ પ દાઝી ગયા : ભાવનગર : ભાવનગરનાં તળાજાનાં પાવઠી ગામે ઘરમાં આગ લાગતાં એક જ પરિવારનાં પાંચ લોકો દાઝી જતાં માતા-પુત્ર બે નાં મોત નિપજયા છે. જયારે ત્રણને હોસ્પીટલ ખસેડાયેલ છે. (તસ્વીર : મેઘના વિપુલ હીરાણી -ભાનવગર) 

ભાવનગર તા.૧  ભાવનગર જીલ્લામાં તળાજા તાલુકાના પાવઠી ગામે  શ્રમિક પરિવારના ઝુપડા જેવા ઘરમાં મોડી રાત્રે આગ લાગતા ગંભીર રીતે દાઝી જતા માતા - પુત્ર નું મોત નિપજ્યુ છે. જ્યારે ત્રણને હોસ્પિટલ ખસેડાયા છે. મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના પાવઠી ગામે ઝુપડા જેવા ઘરમાં રહેતા કોળી પટેલ ભૂપતભાઇ ચીથરભાઇ સોલંકી ના પરિવારનાં સૌ રાત્રે ૧ વાગે ઘરમાં સુતા હતા ત્યારે દિવો પડતા કે કોઇ અન્ય કારણોસર ઘરમાં આગ ભભૂકી ઉઠતા હિતેશભાઇ તથા તેના પત્ની વર્ષાબેન હિતેશભાઇ સોલંકી ઉ.વ.૩૦ તેના પુત્રો  દિનેશ ઉ.વ.૯ તથા જનક અને ભાર્ગવ દાઝી જતા વર્ષાબેન તથા તેના પુત્ર દિનેશનું મોત નિપજ્યુ છે.

જયારે ભુપતભાઇ ને સારવાર માટે તળાજા હોસ્પિટલ ખાતે ભાર્ગવ તથા જનક ને સારવાર માટે ભાવનગરની સરટી. હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં તળાજા પોલીસ સ્ટેશનના હે.કો. એલ.વી. ભમ્મર તથા સ્ટાફ પાવઠી ગામે દોડી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી હતી. (૪.૩)

(11:09 am IST)