Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

લૂંટાવદર ગામના રસ્તે સોની વેપારીને આંતરીને દાગીનાની

લૂંટ :ત્રણ શખ્શોએ મરચાની ભૂકી છાંટી થેલો આંચકી લીધો

મોરબી : નવલખી હાઈવે પર જવેલર્સની દુકાન ધરાવતા સોની વેપારી આજે પોતાના ગામ પરત જતા હોય જે દરમિયાન અવાવરૂ રસ્તે બાઈક પર આવેલા ત્રણ ઇસમોએ મરચાની ભૂકી છાંટી લૂંટ ચલાવી હતી અને વેપારી પાસે રહેલો દાગીનાનો થેલો આંચકી નાસી ગયા હતા.

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લૂંટાવદર ગામના વતની ધીરજલાલ શિવલાલ પારેખ (ઊવ ૬૫) વાળા સોની વેપારી પીપળીયા ચાર રસ્તા નજીક અંબિકા જવેલર્સ નામની દુકાન ધરાવે છે જે આજે મોડી સાંજના સુમારે દુકાન બંધ કરીને પોતાના ઘરે પરત જતા હોય જે દરમિયાન નવલખી હાઈવે પરથી તેના ગામ જવાના સુમસામ રસ્તે ત્રણ બાઈક સવાર ઈસમોએ તેણે આંખમાં મરચાની ભૂકી છાંટી હતી અને તેની પાસે રહેલો દાગીનાનો થેલો આંચકી ફરાર થયા હતા    બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બનાવ અંગે તપાસ ચલાવી છે તો લૂંટારૂઓને દબોચી લેવા માટે પોલીસ દ્વારા જીલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ સોની વેપારીના થેલામાં ચાંદીના દાગીના હતા જે અંદાજે ૩ થી ૪ લાખની કીમતના હોય જેની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા છે હાલ પોલીસ લૂંટારૂઓને દબોચી લેવાની કવાયત આદરી છે

(11:37 pm IST)