Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

હળવદમાં સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ :

હળવદઃ સરા મેલડી પાસે મુળી તાબાનું નવું સ્વામિનારાયણ મંદિરનો આજે ૧૨મો વાર્ષિક પાટોત્સવ તથા સ્વામિનારાયણ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે. હળવદ તાલુકાના રર જેટલા મંદિરોનું નિર્માણ કરનાર શ્રીજી સ્વરૂપદાસજીના અધ્યક્ષતામાં સત્સંગ સભાનું આયોજન થયું હતું. સુરેન્દ્રનગરના સંત કૃષ્ણવલ્લભસ્વામી, રણજીતગઢ હરિકૃષ્ણધામના ભકિત હરિદાસજી સ્વામી, મુળીના ભકિત નંદન સ્વામી, અમદાવાદના વિશ્વવલ્લભદાસજી સ્વામી તથા ભુજનાં સંતો ઉપસ્થિત રહેલ. કથા સત્સંગ સભામાં કહેલ કે જીવનમાં આળશ, પ્રમાદતારૂપી ખામીઓ દૂર થાય, સદ્દભાવના અને જીવનમાં દિવ્યતા પ્રાપ્ત થાય તેવા આશિર્વાદ આપેલ. અન્નકુટ દર્શન પછી યોજવામાં આવેલ. સાંખ્યયોગી બહેનો પણ ઉપસ્થિત રહેલ. આ સભામાં હજારો હરિભકતોએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. પાટોત્સવની તસ્વીરો.

(11:55 am IST)