Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ટંકારામાં જગતગુરૂ રામાનુજચાર્ય જન્મજયંતિ ભાવપૂર્વક ઉજવાય

ટંકારા તા. ૧ : ટંકારા તાલુકા સાધુ સમાજ દ્વારા જગતગુરૂ ૧૦૦૮ પ.પૂ.શ્રી રામાનુજચાર્યની ૭૧૯મી જન્મજયંતી મંદિર ખાતે ઉજવાયેલ. આ પ્રસંગે પાદુકા પૂજન સમુહઆરતી હનુમાન ચાલીસાના પાઠ કરાયેલ.

આ પ્રસંગે ધર્મસભા યોજાયેલ તેમા શશીકભાઇ રામાનુજ (રામાયણી)એ પોતાના વિચારો રજૂ કરી સાચો સાધુ કોને કહેવાય ? સાધુના લક્ષણો આજે સાધુ સમાજમાં શું કરી શકે તે વિશે વિસ્તારથી સમજાવેલ. વંદનીય રામાનુજચાર્યે સનાતન ધર્મ માટે તેના રક્ષણ માટે આપેલ યોગદાનની ઘટનાઓ સાથે જણાવેલ.

અશ્વિનભાઇ નિમાવત દ્વારા ટંકારા તાલુકા સાધુ સમાજનો ગતવર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કરેલ. સાધુ સમાજ દ્વારા સમાજ માટે વાડી બનાવવા માટે જમીન મેળવવા અંગેની માહિતી પૂર્વ મંત્રી જગદીશ કુબાવતે આપેલ. આ પ્રસંગે અનુસ્નાતક ડીગ્રી મેળવતા વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માન કરાયેલ. સમુહ પ્રસાદનુ આયોજન મંદિરના સ્વ.મુળદાસજી પોપટદાસજી પરિવાર દ્વારા કરાયેલ. પ્રમુખ રમણીકભાઇ રામાનુજ દ્વારા ખાખી મંદિરના મહંતનું શાલ ઓઢાડી સન્માન કરાયેલ

(11:59 am IST)