Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

મોરબી પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ

કુવામાં પડી જતા ટીકુકુમારનું તથા ઝેરી દવા પી લેનાર વસંતભાઇ રાજપરા અને લાલપર પાસે ભુસાના ઢગલામાં પડી જતા બાબા અભિલાષાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧ઃ મોરબી પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

પ્રથમ બનાવમાં મોરબીના સનવર્ડ કારખાનાની ઓરડીમાં રહેતા ટીંકુકુમાર સુલખાન (ઉ.૨૯) કારખાનામાં સામે આવેલ કુવામાં કોઈ કારણોસર પડી ગયેલ હોય જેનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા પી એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ બીટ જમાદાર એફ આર સુમરા ચલાવી રહ્યા છે.

બીજા બનાવમાં મોરબીના સરદાર બાગ પાછળ ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા વસંતભાઈ નાનજીભાઈ રાજપરા (ઉ.૫૩) એ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં લાલપર ગામની સીમમાં રેમ્બો-૨ પલાયના કારખાના લેબર કવાર્ટરમાં રહેતા ચંદનભાઈ સુન્નાભાઈ ભીલની દીકરી અભિલાષા (ઉ.૪) કારખાનામાં આવેલ ભુસાના ઢગલા પાસે રમતા રમતા રમતા ઢગલામાં પડી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા પરીવારમાં શોક ફેલાયો હતો તો ધટના અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. (૨૨.૨૦)

(12:58 pm IST)