Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ઉપલેટામાં ધનશ્યામ મહારાજના પાટોત્સવ સપ્તાહ-શાકોત્સવ સમારોહનું સમાપન

ઉપલેટા તા.૧: અહિયા દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે ભગવાન ઘનશ્યામ મહારાજના ૪થા  પાટોત્સવ નિમિતે શ્રી મદ્દ સત્સંગ જીવન સપ્તાહ પારાયણ અન્નકોટ અને શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કથાની વ્યાસપીઠ પરથી પૂ. શાસ્ત્રીજી હરિ પ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) તથા શાસ્ત્રી શ્રી વિશ્વવલ્લભદાસનું(પીજ) વાળાએ જુદા જુદા પ્રસંગોનું સુમધૂર શૈલીથી રસ પાન કરાવેલ હતું. કથા દરમ્યાન પુર્ણાહુતિના દિવે હરિભકન નીલુભાઇ ગોંધીયાના યજમાન પદે અન્નકોટનંુ આયોજન કરવામાં આવેલ તેમજ પુરાણી સ્વામી મોહનપ્રસાદનું સ્વામીના આશીર્વાદથી શાકોત્સવનું આયોજન એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં કરવામાં આવેલ જેનો હજારો હરિભકતોએ લાભ લીધો હતો.

કથા દરમ્યાન જેતપુર-વંથલી-જૂનાગઢ- પીપલાવ, ફરેણી-પોરબંદર-ભાયાવદર-ધોરાજી-ખીરસરા સહિત સૌરાષ્ટ્રના અનેક સ્વામિનારાયણ મંદિરમાંથી સંતો ઉપસ્થિત રહયા હતા.

કથાનું આયોજન કોઠારી શાસ્ત્રી ધર્મનંદન દાસનું સ્વામી તથા ટ્રસ્ટી મંડળે જયારે સંચાલન શ્રીજી ચરણદાસજી સ્વામીએ કરેલ હતું.(૧.૪)

 

(12:09 pm IST)