Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

શુક્રવારે જામકંડોરણાથી ખોડલધામ સુધીની પદયાત્રા : શનિવારે ધ્વજારોહણ

જામકંડોરણા તા ૦૧ : તાલુકા ખોડલધામ સમિતિ દ્વારા જામકંડોરણાથી ખોડલધામ (કાગવડ) સુધીની પદયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે.ે ખેડુત નેતા અને લેઉવા પટેલ સમાજનું ગોૈરવ એવા સાંસદશ્રી વિઠલભાઇ રાદડીયાની તબીયતમાં ઝડપથી સુધારો થાય અનેલોકોની વચ્ચે આવેતેવી પ્રાર્થના કરવા અને માઁ ખોડીયારને ધ્વજા ચડાવવા માટે જામકંંડોરણાથી ખોડલધામ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

આ પદયાત્રાનુંપ્રસ્થાન તા. ૪ નેશુક્રવારે સાંજે ૮.૦૦ કલાકે કન્યા છાત્રાલય જામકંડોરણાથી થશે, બીજા દિવસે તા.૫ન ેેશનિવારે સવારે આ પદયાત્રા કાગવડ ખોડલધામ પહોંચશે. તા. પ-૧-૨૦૧૯ ને શનિવાર ેસવારે ૧૦.૦૦ કલાકે કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે ધ્વજારોહણ કરવામાંઆવશે. આ પદયાત્રામાં જામકંડોરણા તાલુકામાંથી મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના ભાઇઓ તથા બહેનો જોડાશેે.

આ પદયાત્રાના આયોજન માટે જામકંડોરણા તાલુકા ખોડલધામ સમિતિ તથા દરેક ગામોની ખોડલધામ સમિતિ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. (૩.૬)

(12:04 pm IST)