Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

પોરબંદરમાં ની.ગો.૧૦૮ શ્રી ગોવિન્દરાયજીના પૌત્ર જય વલ્લભલાલજીનો શુભ વિવાહ પ્રસ્તાવ

ફેબ્રુઆરીમાં અઠવાડિયા સુધી કાર્યક્રમોઃ વિવિધ મનોરથ દર્શન અને ભોગ ઝાંખી સહિત કાર્યક્રમોઃ દેશ-વિદેશથી વૈષ્ણવ પરિવારો ઉમટશે

પોરબંદર તા.૧: ભાટીયા બજાર ગોવિન્દ નિકેતનના મૂળ ગાદીપતિશ્રી ૧૦૮ પૂ. જીવનલાલજી રણછોડજી મહારાજના સુતશ્રી ની.ગો.૧૦૮ ગાદીપતિશ્રી ગોવિન્દરાયજી મહારાજના સૂતશ્રી ૧૦૮ હરીરાયજીના સુત અને પૂ.ગોવિન્દ રાયના પૌત્ર જય વલ્લભલાલજીના શુભ વિવાહ પુસ્તાવ, ઉજવણીનું ફેબ્રુઆરીની તા.૧૬મીથી તા.૨૨ સુધી ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલ છે.

પ્રસ્તાવ ઉજવણીમાં મદન મોહન પ્રભુ તથા તેમની સાથે બિરાજતા શામળાજી સહિત વગેરે સ્વરૂપની વિવિધ મનોરથ દર્શન તથા ભોગ ઝાંખી સહિત કાર્યક્રમોનું આયોજન થયું છે

પ્રસ્તાવ ઉજવણી માટે બાહુબલી-૨ ''થીમ'' આધારિત વિશાળ મંડળ તૈયાર કરાશે મંડપનું કામ અમદાવાદની મંડપ સર્વિસને સોંપાયું છે

દેશ વિદેશ તથા ગ્રામ્ય વિસ્તારમાંથી વૈષ્ણવ પરિવારો લગ્ન પ્રસ્તાવમાં ઉપસ્થિત રહેશે.      

(12:45 pm IST)