Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ડે. મેયર અશ્વિનભાઇ મોલિયાની સિનર્જી હોસ્પિટલમાં ધનિષ્ઠ સારવાર શરૂ

મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સ્ટે. ચેરમેન ઉદય કાનગડ સતત ખડેપગે

રાજકોટ તા. ૩૧: મ.ન.પા.નાં ડે. મેયર અશ્વિનભાઇ મોલિયા આજે બપોરે કોર્પોરેશન કચેરી ખાતે હતાં ત્યારે તેઓની ચેમ્બરમાં હતા ત્યારે એકાએક ચકકર આવતાં પડી ગયા હતાં ત્યારે ત્યાં ઉપસ્થિત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ તાત્કાલીક શ્રી મોલિયાને સિનર્જી હોસ્પીટલે લઇ ગયા હતાં જયાં તેઓની ધનીષ્ઠ સારવાર શરૂ કરાવી હતી. શ્રી કાનગડનાં જણાવ્યા મુજબ જયારે અશ્વિનભાઇને હોસ્પીટલે લઇ જવાયા ત્યાંરે તેઓની હાલત બેશુધ્ધ જેવી હતી. કોઇને ઓળખી શકતા ન હતાં. પરંતુ સારવાર શરૂ થયા બાદ તેઓ આંખો ખોલવા માંડયા હતાં.

દરમિયાન મેયર બીનાબેન આચાર્ય ત્થા શહેર ભાજપ કમલેશ મીરાણી પણ સિનર્જી હોસ્પીટલ ખાતે દોડી ગયા હતાં અને શ્રી મોલિયાને ધનિષ્ઠ સારવાર મળે તે માટે પ્રબંધો કર્યા હતાં.

(4:41 pm IST)