Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

રાજકોટની કેન્સર હોસ્પિટલના ૩ નર્સને કોરોના : ખળભળાટ

સારવારમાં આવતા દર્દીઓ - તબીબો અને પરિવારજનોમાં ભારે ચિંતાની લાગણી

રાજકોટ તા. ૩૧ : કોરોનાએ દિન પ્રતિદિન વધુ કહેર મચાવી રહ્યો છે. કોરોના હવે રાજકોટ શહેરમાં તમામ ક્ષેત્રમાં પહોંચી ગયો છે. આજે રાજકોટની કેન્સર હોસ્પિટલમાં એક સાથે ૩ નર્સને કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામેલ છે.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનના નાયબ અધિકારી ડો. પી.પી. રાઠોડના જણાવ્યા પ્રમાણે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા ૩ નર્સને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા ગઇકાલે રિપોર્ટ કરાવેલ જે આજે પોઝિટિવ આવ્યો છે.

કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવા આવતા દર્દી તેમના સગા અને ફરજ પરના તબીબોમાં પણ ચિંતાની લાગણી ફેલાઇ છે.

(3:29 pm IST)