Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

રાજકોટ - સૌરાષ્ટ્રના ખૂબ જ નામાંકિત એવા

રચિત કેટરર્સના કિરીટભાઈ બુદ્ધદેવ અને તેમના પુત્ર મોહિતને કોરોના : ભારે ચિંતાની લાગણી

તબિયત સારી : સિવિલ હોસ્પિટલમાં લેવાઈ રહેલ સારસંભાળની પ્રશંસા કરી

રાજકોટ, તા. ૩૧ : રાજકોટ - સૌરાષ્ટ્રના ખૂબ જ જાણીતા રચિત કેટરર્સવાળા શ્રી કિરીટભાઈ બુદ્ધદેવ અને તેમના નાના પુત્ર મોહિત બુદ્ધદેવને કોરોના પોઝીટીવ આવતા ભારે ચિંતાની લાગણી પ્રસરી છે.

રાજકોટની સિવિલ કોવિડ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. કિરીટભાઈની તબિયત સ્થિર અને સારી છે. તેમણે સિવિલ હોસ્પિટલમાં અપાઈ રહેલ સારવાર અને લેવાઇ રહેલ સારસંભાળ અંગે ખૂબ જ સંતોષ વ્યકત કરી કોરોના વોરીયર્સના યોગદાનની ભારે પ્રશંસા કરી હતી.

(11:42 am IST)