Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

કુવાડવા રોડ પર રહેતાં કુંભાર સગર્ભા ગીતાબેનનું છાતીમાં દુઃખાવા બાદ મોત

રાજકોટ તા. ૩૧: કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે કરણાભાઇની વાડીમાં પરિવારજનો સાથે રહેતાં ગીતાબેન કિશોરભાઇ પરમાર (ઉ.૩૦) નામના ગુર્જર કુંભાર મહિલાનું છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત નિપજ્યું છે. કરૂણતા એ છે કે હાલમાં આ મહિલાને સારા દિવસો જઇ રહ્યા હતાં. પરિવારજનો ખુશીના દિવસની રાહમાં હતાં અને આ બનાવ બની ગયો હતો.

જાણવા મળ્યા મુજબ ગીતાબેનને હાલમાં નવમો મહિનો ચાલી રહ્યો હતો. રાત્રે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં ગુંદાવાડી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. મૃતકના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. તેમની આ પહેલી જ ડિલીવરી હતી. પતિ કિશોરભાઇ વાડીમાં મજૂરી કામ કરે છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બી-ડિવીઝનના  એએસઆઇ મિતલબા ઝાલા અને અજયભાઇ બસીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

(11:32 am IST)