Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રામેશ્વર ગ્રીન સીટીમાં ભણતરના ટેન્શનમાં ધો.૧રની છાત્રાનો આપઘાત

રાજકોટ, તા., ૩૧: કોઠારીયા રોડ પર રામેશ્વર ગ્રીન સીટીમાં રહેતી ધોરણ ૧રની છાત્રાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ નજીક રામેશ્વર ગ્રીન સીટીમાં રહેતી જહાન્વી ભરતભાઇ ઢોલરીયા (ઉ.વ.૧૮) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એએસઆઇ નરેન્દ્રભાઇએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક જહાન્વી ધોરણ-૧રમાં અભ્યાસ કરતી હતી.

ભણતરની ચિંતામાં તેણે આ પગલુ ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.(૪.૧૩)

(3:38 pm IST)