Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કાર્યભાર સંભાળ્યો : કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્છા

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારમાં ગુજરાતના રાજયસભાના સભ્ય શ્રી મનસુખ માંડવિયાને રાજય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. તેમને શીપીંગ (સ્વતંત્ર હવાલો) અને ખાતર વિભાગનો હવાલો સોંપાયો છે. તેમણે આજે નવી દિલ્હી ટ્રાન્સપોર્ટ ભવન ખાતે કાર્યભાર સંભાળી લીધો છે. તેમના આમંત્રણને માન આપીને આજે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અગ્રણી જુનાગઢવાળા શ્રી પ્રદીપ ખીમાણી પણ ઉપસ્થિત રહ્યા હતાં.

(4:07 pm IST)