Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ભજનિક હેમંત ચૌહાણે વેકસીન લીધીઃ સૌને લેવા કરી અપિલ

રાજકોટઃ વધુને વધુ પ્રમાણમાં લોકો વેકસીન લઈ કોરોના સામે રક્ષણ પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી ભાજપ દ્વારા વ્યાપકપણે જનજાગૃતી અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરના ખ્યાતનામ ભજનિક હેમંત ચૌહાણે કોરોના સામે રક્ષણ આપતી વેકસીન લઈ જનજાગૃતિ અભિયાનને વેગ આપ્યો હતો. આ તકે સૌરાષ્ટ્ર- કચ્છ ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, વોર્ડ નં.૮ના પ્રભારી નિતીન ભુત તેમજ વોર્ડ નં.૮ના વોર્ડ મહામંત્રી તેજશ જોષી, કોર્પો.નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ સહીતના સાથે કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:03 pm IST)