Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

મનોકામના સિધ્ધ હનુમાનજી મંદિર બટુક ભોજન- આરતી

રાજકોટઃ અહિંના ગાંધીગ્રામ ખાતે અક્ષરનગર-૨માં આવેલ મનોકામના સિધ્ધ હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિએ સવારે ૭ વાગે આરતી બાદ સરબત વિતરણ, સાંજે ૫:૩૦ કલાકે બટુકભોજન તેમજ સાંજે ૭:૩૦ મહાઆરતી બાદ દાંડીયારાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે. આયોજનમાં ધવલ કારીયા, રવિ ગઢવી, સાગર પરમાર, ઉમેશ લાઠીયા, પાર્થ સોલંકી, સુરેન્દ્રદિપસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, સંદિપ ત્રિવેદી, રોનક ભીમજીયાણી, મયુર ભરવાડ, જયદિપ ચાંદેગ્રા, કિશન ચિત્રોડા, પાર્થ ગોહેલ, ગૌરવ ચૂહા, કુલદિપ દવે, અજય કુકડીયા, અજય ભરવાડ, રવિ સરવૈયા, ધવલ લાઠીયા, ધાર્મિક લાઠીયા, વિમલ પરમાર, અવિનાસ ભુંડીયા, રોનક ભરવાડ, રાજવીર પરમાર વિ. જોડાયા છે.(૩૦.૬ )

(4:19 pm IST)