Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

વહીવટી તંત્રમાં તોળાતા ધરખમ ફેરફારોઃ અધિકાંશ કલેકટર, ડી.ડી.ઓ., મ્યુ. કમિશ્નર બદલાશે

રાજકોટ, તા., ૩૦: ગુજરાતના વહીવટી તંત્રમાં જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તે આઇએએસ કેડરમાં બદલીના ધાણવાની તૈયારીએ વેગ પકડયો છે. સંભવત એપ્રિલના પ્રથમ અઠવાડીયામાં મોટાપાયે ફેરફારો આવી રહયા છે.

૩ વર્ષ પુરા થઇ ગયેલા અથવા અન્ય કારણસર બદલી પાત્ર બનેલા સનદી અધિકારીઓ બદલાશે. મોટાભાગના કલેકટર, મ્યુ. કમિશ્નરોની બદલી આવી રહયાના વાવડ છે. કેટલાક ડી.ડી.ઓ. બદલાશે ડી.ડી.ઓ. કક્ષાએથી અમુકને કલેકટર કક્ષાએ મુકવાના થાય છે. અધિક મુખ્ય સચિવ, અગ્રસચિવ, સચિવ વગેરે કક્ષાએ પણ ફેરફારો સ્પર્શી જશે.

(3:54 pm IST)