Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

બજરંગબલીની વાજતે ગાજતે શોભાયાત્રા

રાજકોટ : હનુમાન જયંતિ નિમિતે આજે બડે બાલાજી મિત્ર મંડળ દ્વારા રાજકોટમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. હનુમાનજીના જય જયકાર કરતી આ શોભાયાત્રા રામનાથપરા ખાતેથી પ્રારંભ થઇ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. હનુમાનજીની વિશાળ મુર્તિ અને ફોટાઓ સાથે મુખ્યરથ તેમજ વિવિધ ફલોટ સાથે જોડાયા હતા. માર્ગોમાં ઠેરઠેર ભાવભીનું સ્વાગત કરાયુ હતુ. ઢોલ અને ડી.જે. ના તાલે હનુમંત ભકતો ઝુમી ઉઠયા હતા.  મુખ્ય માર્ગો પર ફરી રોકડીયા હનુમાનજી મંદિર ખાતે શોભાયાત્રાને વિરામ અપાયો હતો. તસ્વીરમાં શોભાયાત્રાની ઝલક નજરે પડે છે. (તસ્વીર :  સંદીપ બગથરીયા (૧૬.૪)

(2:50 pm IST)