Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

કોમી એકતાના પ્રતિક હઝરત ગૈબનશાહ પીરનો રવિ અને સોમવાર બે દિ' ઉર્ષઃ કાલે રાત્રે કોમી એકતા સમારોહ પરમ દી' વાએઝ

રાજકોટ તા. ૩૧: હજરત ગૈબનશાહ પીર વલી અલ્લાહનો ઉર્સ રવિવાર અને સોમવાર એમ બે દિવસ ઉજવાશે. આ પ્રસંગે રવિવારે રાત્રે ૯-૩૦ કલાકે 'રાષ્ટ્રીય અને કોમી એકતા સમારોહ અને સર્વધર્મ સમભાવ સમારોહ'નું આયોજન કરાયું છે. કાલે રાત્રે ૧૦-૩૦ કલાકે દિલ્હીના મશહૂર સિંગર કવ્વાલ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વાર નૌશાદ અલીખાનનો કવ્વાલીનો જલસો યોજાશે.

આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદા પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહેશે. ઉદ્દઘાટક તરીકે મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત, કલેકટર ડો. વિક્રમાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાની, ગુજરાત રાજય માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન રાઉમા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો. હેમાંગ વસાવડા ઉપસ્થિત રહેશે.

ગેબનશાહ પીરનો ઉર્સ રવિ અને સોમ બે દિવસ યોજાશે. જેમાં બીજા દિવસે વાએઝનો કર્યાક્રમ રખાયો છે. જેમં ધોરાજીના મશહૂર ઉલેમા હઝરત મૌલાના સૈયદ ગુલામગૌર અલ્વી સાહેબ તકરીર કરશે.

ટ્રસ્ટી દરજે હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રહિમભાઇ સોરા સેવાઓ આપી રહ્યા છે. ઉપરાંત જાગૃત ટ્રસ્ટી તરીકે યુનુસભાઇ હાજીભાઇ જુણેજા, હાસમભાઇ સુમરા, ભીખુભાઇ રાઉમા, માલિયાસણના માજી સરપંચ અબ્દુલભાઇ જુણેજા, તૈયબભાઇ ભાણુ તથા બાબુભાઇ વિસળ સેવાઓ બજાવે છે.

કૌમી એકતાના પ્રતિક હઝરત ગૈબનશાહ પીર દરગાહના પ્રમુખપદે સેવાભાવી હાજી બાબુભાઇ જાનમુહંમદભાઇ ઉપ પ્રમુખ-ઇબ્રાહીમભાઇ દલ, સેક્રેટરી સુલેમાનભાઇ સંઘાર, ટ્રસ્ટી હાજી બશીરબાપુ બુખારી, ઇકબાલ બેરા, મીરઝા વિગેરે સેવાઓ આપી રહ્યા છે.

સર્વધર્મ સમારોહમાં સૈયદ મુન્નાબાપુ સદરવાળા, ત્યાગ વલ્લભ સ્વામીજી, ફાધર જેમ્સતાઇલ, જલમીતસીંગ ડીલોન, જીતુભાઇ દેસાઇ ત્થા યુસુફભાઇ જોહર હાજરી આપી વકતવ્યો આપનાર છે.(૭.૪૧)

(2:48 pm IST)